Advertisement
Author: નોબત સમાચાર

મુદ્દલ જેટલુ વ્યાજ ચૂકવ્યા પછી પણ વ્યાજખોરે ગાળો ભાંડી ધમકી આપી

સિક્યુરિટીનો ચેક રિટર્ન કરાવવાની પણ શેખી મારીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના એક યુવાને બે વર્ષ પહેલાં રૂ.૮૦ હજાર હાથઉછીના લઈ વ્યાજ પેટે રૂ.૭૫ હજાર ચૂકવી આપ્યા પછી હાલમાં વ્યાજ ન ભરપાઈ થઈ શકતા વ્યાજખોરે ઉઘરાણી કરી હતી. જેમાં આ યુવકે થોડા દિવસમાં વ્યાજ આપી દઈશ તેમ કહેતા તેને ગાળો ભાંડી મારી નાખવાની અને ચેક પરત ફેરવવાની ધમકી અપાતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર કુકડા કેન્દ્ર નજીક સંત કબીર આવાસમાં રહેતા કાનજીભાઈ ભરતભાઈ બુદ્ધભટ્ટી નામના યુવાને પૈસાની જરૂરિયાત ઉભી થતાં ફેબ્રુઆરી ૨૦૨૩માં પટેલ કોલોનીની શેરી નં.૧૧માં રહેતા કલ્પેશ જનકરાય મહેતા પાસેથી કટકે કટકે રૂ.૮૦ હજાર સવા છ ટકાના વ્યાજે લીધા હતા.

ત્યારપછી દર મહિને રૂ.પ હજાર લેખે ૧પ મહિના સુધી રૂ.૭પ હજાર વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. તે પછી હાલમાં વ્યાજ આપવાની સગવડ થતી ન હોવાથી કાનજીભાઈ પૈસા ચૂકવી શકતા ન હતા. આથી વ્યાજની માગણી કરી કલ્પેશ મહેતાએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત સિક્યુરિટીમાં આપેલા કોરા ચેકમાં રકમ લખી બેંકમાંથી ચેક પરત ફેરવી લેવાની પણ ધાક બતાવતા કાનજીભાઈએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh