Advertisement
Author: નોબત સમાચાર

ભારતે ર૩ મે સુધી પાકિસ્તાન માટે એરલાઈન્સ કરી બંધઃ 'નોટમ' જાહેર

પાકિસ્તાનની એરલાઈન્સને થશે મોટું નુક્સાનઃ

                                                                                                                                                                                                         

નવી દિલ્હી તા. ૧: ર૩ મે સુધી પાકિસ્તાની એરલાઈન્સ માટે એરસ્પેસ બંધ કરવાનો ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ મોટો નિર્ણય લીધો છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર આકરા પગલાં લીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારતીય એરલાઈન્સ માટે એર સ્પેશ બંધ કરી દીધો છે તેની પછી આજે ભારતે પણ પાકિસ્તાની એરલાઈન્સ માટે એરસ્પેસ બંધ કરી દીધો છે. જેની માટે એરમેનને નોટીસ એટલે કે નોટમ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં ૩૦ એપ્રિલથી ર૩ મે સુધી નોટમ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં નોંધાયેલ કોઈપણ વિમાન કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. ભારત હવે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરતા પાકિસ્તાનને મોટું નુક્સાન થશે. પાકિસ્તાન એરલાઈન્સને હવાઈ યાત્રા માટે લાંબો રસ્તો અપનાવવો પડશે. પાકિસ્તાની ફ્લાઈટ્સ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો માટે ચીનના એર સ્પેશનો ઉપયોગ કરવો પડશે. જેના લીધે મુસાફરીના સમય અને ઈંધણ ખર્ચમાં પણ તોતિંગ વધારો થશે. ભારત પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર પછી હવે જળ માર્ગો પર પ્રતિબંધ લાદી શકે છે.

ભારત તેના બંદર અંગે પણ કાર્યવાહી કરી શકે છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા ૫છી ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સિવાય અનેક આકરા નિર્ણયો લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh