Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુનિયામાં યુદ્ધનો માહોલ છવાયો છે અને ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસરો ભારત સહિત આખી દુનિયામાં થવાની છે. ભારતના એક તેલવાહક જહાજ પર પણ હૂમલો થયો છે. ઈરાનમાં ભારતે જેમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે, તે ચાબહીરમાં પણ નુકસાન થયુ છે. આ ઉપરાંત યુદ્ધના કારણે ઈરાને જ્યાં જ્યાં અમેરિકાના સૈન્ય ઠેકાણાં છે, ત્યાં ત્યાં ઈરાને હૂમલા કર્યા છે, તેની અસરો ટી-૨૦ના વર્લ્ડકપની મેચ પર પણ પડી છે.
આ યુદ્ધના કારણે મિડલ ઈરાનના દેશમાં ભારે તંગદિલી છે, અને દુબઈ, અબુધાબી સહિતના દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર ઈરાનના હૂમલાઓના કારણે ટી-૨૦ના વર્લ્ડકપમાં રમી રહેલી ઝિમ્બાબ્વેની ટીમ અટવાઈ પડી હતી. દ.આફ્રિકા સાથેની મેચ રમવા રોકાયેલા ખેલાડીઓ અચાનક કેટલાક એરપોર્ટ બંધ કરી દેવાતા અટવાઈ ગયા હતા. બીજી તરફ બાંગલાદેશનો એક દિગ્ગજ ક્રિકેટર મક્કામાં ફસાઈ ગયો હોવાના અહેવાલો છે. બીજી તરફ અબુધાબીમાં પણ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની એક મેચમાં પણ ખલેલ પડી અને વન-ડે મેચ પડતી મૂકાઈ.
આ યુદ્ધનો તત્કાળ અંત નહીં આવે તો સપ્લાય ચેઈનને માઠી અસર પહોંચતા વૈશ્વિક પરિવહન ખોરવાઈ જતા દુનિયાભરમાં આવશ્યક ચીજવસ્તુઓ તથા રો-મટિરિયલ્સની તંગી ઊભી થશે, તથા ખાસ કરીને ક્રૂડ, ખનિજ, ગેસ અને જીવનજરૂરી માલ-સામાનની સપ્લાય ચેઈન ખોરવાઈ જતા મોંઘવારી ફાટી નીકળશે તથા પ્રોડકશન, ખરીદ-વેચાણ તથા પરિવહનને ઘણી જ મોટી વિપરીત અસર ઊભી થઈ શકે છે.
અમેરિકા અને ઈઝરાયલના સુપ્રિમ લીડર ખેમનાઈને ખતમ કર્યા, તેનો વિશ્વભરમાં વિરોધ ઉઠયો છે, તથા પડોશી દેશ પાકિસ્તાન અને પીઓકેમાં અમેરિકા વિરોધી પ્રદર્શનો કરી રહેલા પોતાના જ દેશના નાગરિકો પર પાક.સરકારે ગોળીબાર કરાવતા કેટલાક પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા, તેથી એક અલગ જ પ્રકારનો આક્રોશ ઊભો થયો છે.
ઈરાનમાં પણ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. ખેમનાઈના રૂઢીચૂસ્ત શાસનથી મૂક્તિ માંગતી યુવાજનતા (જેનઝેડ) ખુશ છે અને ઘણાં સ્થળે ખેમનાઈના ખાતમા પછી ખુશી પણ મનાવાઈ રહી હતી, તો બીજી તરફ આ ખુશી મનાવી રહેલા લોકો પર આડેધડ ગોળીબાર કરતા બાઈકસવારો પણ જોવા મળ્યા હતા. ઈરાનમાં સુપ્રિમ લીડર અને ઘણાં બધા સૈન્ય અફસરો તથા સરકારના મંત્રી તથા અન્ય રાજનૈતિક હોદ્દેદારો, અડવાઈઝર્સ વગેરે ઈઝરાયલ-અમેરિકાના હૂમલામાં માર્યા ગયા પછી પણ ઈરાને કેટલાક ઈસ્લામિક સ્ટેટ (મુસ્લિમ શાસન હોય તેવા રાજ્યોમાં) આવેલા અમેરિકી ઠેકાણાઓ પર હૂમલા કર્યા હોવાથી તે દેશ પણ ઈરાનથી નારાજ જણાય છે.
ગઈકાલે ટ્રમ્પે ઈરાનની નવી નેતાગીરી વાતચીત માટે તૈયાર હોવાની વાત કરી અને સાથે સાથે મોડું થઈ ગયું હોવાની ટકોર પણ કરી, તેથી ગઈકાલે રાત્રિ સુધી એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહ્યા, તો બીજી તરફ ભીષણ હૂમલાઓ પણ થતા રહ્યા.
આખું વિશ્વ ઇચ્છે છે કે માત્ર ઈરાન-અમેરિકા-ઇઝરાયલનું હાલનું યુદ્ધ જ નહીં, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ ખતમ થઈ જાય, કારણ કે આ યુદ્ધો આખી દુનિયાની માત્ર ઈકોનોમિ કે બિઝનેસ જ નહીં, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને પરિવહન તથા જનજીવનને પણ છિન્ન-ભિન્ન કરી રહ્યા છે.
અત્યારે જ ક્રૂડના બેરલના ભાવો વધ્યા છે, જે યુદ્ધ લંબાય તો વધુ ભડકે બળે, જેથી તમામ વસ્તુઓ મોંઘી થશે.
વૈશ્વિક રાજનીતિ, યુદ્ધો તથા મીડલ ઈસ્ટના કૂટનૈતિક જાણકારો પણ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. એક વર્ગ એવો છે કે જે ઈરાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે, અને ટ્રમ્પની દાદાગીરી તથા ઈઝરાયલની આક્રમકતાની ટીકા કરે છે. બીજો વર્ગ એવો છે કે જે રૂઢીચૂસ્ત પ્રવર્તમાન ઈરાન સરકાર દ્વારા હિઝબુલ્લાહ, હમાસ અને હુતી જેવા કહેવાતા આતંકી સંગઠનોને પ્રોત્સાહન અપાતુ રહ્યું હોવાથી ઈરાન-આતંકવાદ પ્રેરક દેશ બની રહ્યો હોવાના અમેરિકા અને ઈઝરાયલના તર્કની તરફેણ કરે છે તથા ઈરાનના પરમાણુ શક્તિ બનવાના મનસુબાઓનો સખ્ત વિરોધ કરે છે.
ઈરાને બહેરીન, કતાર, કૂવૈત એન યુએઈમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર હૂમલા કર્યા. ગઈકાલે પણ દુબઈ, દોહા અને પનામામાં વિસ્ફોટો સંભળાતા રહ્યા, પામ જુબેરાહ અને બુર્જ અલ અરબ સહિતની ખ્યાતનામ ઈમારતો તથા અસ્કયામતોને નુકસાન થયું તે પછી દુબઈનું એરપોર્ટ પણ બંધ કરી દેવાતા સંખ્યાબંધ પ્રવાસીઓ રઝળી પડયા છે, જેમાં ઘણાં બધા ગુજરાતીઓ છે.
એ પછી યુએઈના પોલિટિકલ એડવાઈઝર અનવર ગહગાશે ઈરાનને વોર્નિંગ આપી અને પડોશીઓને નુકસાન નહીં પહોંચાડવાની અપીલ સાથે સમજદારીપૂર્વક નિર્ણયો અને એકશન લેવાની સલાહ પણ આપી. ખાડીના દેશો સામે ઈરાનની આક્રમકતાને વખોડતા તેમણે કહ્યું કે ઈરાન અત્યારે એક નાજુક પરિસ્થિતિમાં છે અને એકલું-અટુલું પડી ગયું છે. ઈરાને એ સમજવું જોઈએ કે તેમનું આ યુદ્ધ અમેરિકા-ઈઝરાયલની સાથે સાથે પડોશી દેશો સાથે તણાવ પણ વધારી રહ્યું છે, કારણ કે ઈરાન પડોશી દેશો પર પણ અંધાધૂંધ હૂમલા કરી રહ્યું છે.
રશિયા અને ચીનની આલોચના પછી ટ્રમ્પ-નેતન્યાહુ સામે પણ એક વ્યૂહાત્મક પડકાર ઊભો થયો છે અને આ બંને શક્તિશાળી નેતાઓનો પોત-પોતાના દેશમાં જ વિરોધ વકરી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે, ઈરાની એરફોર્સ દ્વારા કુદર્શિતાન તથા પર્શિયન ગલ્ફના દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હૂમલો કર્યા પછી ઢગલાબંધ દેશોએ ઈરાનને સમજપૂર્વક કામ લેવાની તથા અમેરિકા-ઈઝરાયલને પણ યુદ્ધ ખતમ કરીને શાંતિપર્વક વાટાઘાટો કરવાની અપીલો કરી છે.અત્યારે વિશ્વના દેશો ત્રણ ભાગમાં વહેંચાઈ રહ્યા છે, જે પૈકી બંને તરફ ઝુકાવ ધરાવતા દેશો ઉપરાંત ઘણાં ભારત જેવા તટસ્થ દેશો પણ છે. જો કે, આમ છતાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ શરૂ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial