Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓવર ડ્રાફ્ટ સામે દસ્તાવેજ મોર્ગેજ કરાયા હતાઃ
જામનગર તા. ૭: જામનગરના એક આસામીએ ખાનગી બેંક પાસેથી મેળવેલી ઓવર ડ્રાફ્ટની લિમિટ સામે મોર્ગેજમાં મૂકેલા સ્થાવર મિલકતના અસલ દસ્તાવેજ બેંક દ્વારા ખોવાઈ જતાં બેંક સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ આપવા અને રૂ.૧ લાખનું વળતર પણ ચૂકવવા બેંકને હુકમ કર્યાે છે.
જામનગરમાં આર.જે. બ્રધર્સ નામની પેઢી ચલાવતા જયસુખભાઈ મથુરાદાસ સોનૈયા નામના વેપારીએ જોલીબંગલા પાસે આવેલી એક્સિસ બેંકની શાખામાંથી ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી હતી. તે સુવિધા માટે બેંક દ્વારા જયસુખભાઈની સ્થાવર મિલકતનો અસલ દસ્તાવેજ મોર્ગેજ કરવામાં આવ્યો હતો.
ત્યારપછી લોનની ભરપાઈ કરી જયસુખભાઈએ બેંક પાસેથી નો-ડયૂ સર્ટીફિકેટ અને દસ્તાવેજ માંગતા તે દસ્તાવેજ મુંબઈમાં હેડ ઓફિસે મોકલાવ્યા પછી ખોવાઈ ગયાની વિગતો આપવામાં આવી હતી. બેંકના આ વલણથી જયસુખભાઈએ નારાજ થઈ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં બેંક સામે ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદ ચાલી જતાં ફોરમે અસલ દસ્તાવેજ અન્વયે ટાઈટલ ક્લિયર સર્ટીફિકેટ ૬૦ દિવસમાં આપવાનું તેમજ અસલ દસ્તાવેજ ગુમ થવાથી ટાઈટલ પર થનારી અસલ અંગે રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવી આપવા અને માનસિક ત્રાસ અને આર્થિક નુકસાન પેટે રૂ.રપ હજાર ચૂકવવા, ફરિયાદ ખર્ચના રૂ.પ હજાર અલગથી આપવા આદેશ કર્યાે છે. જયસુખભાઈ તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial