Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના ૧૬ કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી અપાઈ

કેટલાક પાત્રતા ધરાવતા કર્મચારીને બઢતી નહીં મળતા અસંતોષઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકામાં વર્ગ બે અને ત્રણમાં ફરજ બજાવતા ૧૬ કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે, જો કે અમુક પાત્રતા ધરાવતા કર્મચારીને બઢતી નહીં મળતા નારાજગી જોવા મળી છે.

જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. આસોડીયા અને નિર્મળાબેન પરમારને ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ-ર તરીકે હંગામી ધોરણે બઢતી અપાઈ છે, જ્યારે આર.બી. નિનામાનો ઓ.એસ (વર્ગ-૩), હર્ષદ એમ. પટેલને એકાઉન્ટન્ટ, સી.એન. શિંગાળાને ઓ.એસ., કે.વી. ખીમસૂર્યાને ઓ.એસ. (ટેક્સ), વી.એમ. ઓઝાતને ઓ.એસ., ધર્મેશ એમ.જેઠવાને ઓ.એસ., એ.કે. ડામોરને ટ્રેઝરર, એન.બી. બંબુડિયાને સ્ટેટેટીકલ આસી. (એક્સ), વિશાલ દવેને આસી. ટેક્સ ઓફિસર તરીકે ઉપરાંત નઝીર ચાવડા, દિપસંગ ચૌહાણ, ભાગવતસિંહ, ઓઝા એસ.એ., ભરત હરસોડાને વોટર વર્કસ સબ ઈન્સ. તરીકે બઢતી આપવામાં આવી છે. આ કર્મચારીઓએ સીસીસીનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે, જો કે અમુક કર્મચારી પાત્રતા ધરાવનારને બઢતી નહીં મળતા ચણભણાટ પણ સાંભળવા મળ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh