Advertisement
Author: નોબત સમાચાર

જીપીએસસીની પરીક્ષાના કેન્દ્રો નજીક ઝેરોક્ષ મશીનો પર પ્રતિબંધ

જામનગરમાં ૭મી સપ્ટેમ્બરને રવિવારે

                                                                                                                                                                                                      

જામનગર તા.૫: જામનગરમાં તા.૭ સપ્ટેમ્બરના ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર પરીક્ષાઓને લઈને કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા છે.

આગામી તા.૦૭/૦૯/ ૨૦૨૫ ને રવિવારના ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-૦૮/૨૦૨૫-૨૬ નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ અને નાયબ મામલતદાર વર્ગ-૩ની લેખીત પરીક્ષાઓ તથા જાહેરાત ક્રમાંક-૧૨૭/૨૦૨૪-૨૫ નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ અને નાયબ મામલતદાર વર્ગ-૩(દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ ભરતી) ની લેખીત પરીક્ષાઓ યોજાનાર છે. જેના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધિત હુકમો જાહેર કરવામાં આવ્યા છે.

જે મુજબ જામનગર જિલ્લામાં લેવાનાર પરીક્ષા માટે નિયત ૧૩ પરીક્ષા કેન્દ્રો  જેમાં નેશનલ હાઈસ્કૂલ જામનગર, નંદન માધ્યમિક શાળા, કાલિંદી સેકન્ડ અને હાયર સેકન્ડરી સ્કૂલ જામનગર, આર. આર. શાહ હાઈસ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ જામનગર, માતૃશ્રી એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય, એલ.જી. હરિયા સ્કૂલ, જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, પ્રણામી હાઈસ્કૂલ, શ્રીમતી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય, ભવન્સ એ કે દોશી વિદ્યાલય, શારદા મંદિર હાઈસ્કૂલ,  ડી એસ. ગોજીયા વિદ્યાલય તથા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંગે નિયત કરવામાં આવેલા બે પરીક્ષા કેન્દ્રો જેમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ તથા સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલમાં પરીક્ષા યોજવામાં આવશે.

આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પરીક્ષા સુચારૂ રીતે લેવાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તા.૦૭/૦૯/૨૦૨૫ના  સવારના ૧૦:૩૦ કલાકથી બપોરે ૧:૩૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં. તથા પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઈલેકટ્રોનિક વોચ કે અન્ય અનધિકૃત સાહિત્ય વિગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh