Advertisement
Author: નોબત સમાચાર

સુરતના લસકાણામાં નોંધાયેલા ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

સનાળા ગામના પાટીયા પાસેથી ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૨૯: કાલાવડના સનાળા ગામના પાટીયા પાસેથી ગઈકાલે એક શખ્સને કાલાવડ પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સ સુરતના એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં પકડવાનો બાકી હતો.

કાલાવડ તાલુકાના સનાળા ગામમાં રહેતા અર્ચિત વિનોદભાઈ ગધેથડીયા નામના શખ્સ સામે ચાલુ વર્ષે સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૩૧૮ (૪) હેઠળ ગુન્હો નોંધાયો હતો.

ત્યારપછી આ શખ્સ હાથતાળી આપતો હતો. ગઈકાલે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સનાળા ગામના પાટીયા પાસેથી આ શખ્સ ઝડપાઈ ગયો છે. તેનો કબજો સરથાળા પોલીસને સોંપવાની તજવીજ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh