Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતચીત અંગે ગરમાગરમી થતાં સાઢુ અને તેના બે પુત્ર તૂટી પડ્યાઃ
જામનગર તા. ૧: જામનગરના ગોકુલનગર પાણાખાણમાં એક યુવાન પર તેના સાઢુભાઈ તથા બે પુત્રએ છરી-પાઈપથી હુમલો કરી તેની કરપીણ હત્યા નિપજાવી હતી. આ યુવાનની પત્ની રિસામણે ચાલી ગઈ હોય તેને મનાવી લાવવાની વાતચીત કરવા આવેલા સાઢુએ ઉપરોક્ત હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીની શોધ શરૂ કરી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી પાણાખાણની શેરી નં.પમાં રહેતા રોહિતભાઈ દિલાભાઈ પરમાર નામના યુવાનના લગ્ન થોડા વખત પહેલાં તેજલબેન સાથે થયા પછી આ દંપતી વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં તેજલબેન પોતાના પિયર ચાલ્યા ગયા હતા.
ત્યારપછી રોહિત સાથે તેમના સાસરા પક્ષના લોકો સમાધાન માટે વાત કરતા હતા. તે દરમિયાન ગઈકાલે બપોરે રોહિતભાઈના સાઢુ નરેશ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલ અને વિમલ પરમાર ઘેર આવ્યા હતા.
આ વેળાએ નરેશે પોતાની સાળી તેજલને મેટોડાથી તેડી લાવવા માટે દબાણ કર્યા પછી મામલો બીચકતા રોહિત પર હુમલો કર્યાે હતો. નરેશની સાથે સુજલ તથા વિમલ પણ તૂટી પડ્યા હતા. આ વ્યક્તિઓએ છરી તેમજ પાઈપથી આડેધડ ઘા ઝીંકી દેતા લોહીલુહાણ બની ગયેલો રોહિત ઢળી પડ્યો હતો. તે પછી ત્રણેય હુમલાખોર નાસી ગયા હતા.
આ વેળાએ ઘરમાં હાજર રોહિતના પિતા દિલાભાઈ વીરાભાઈ પરમાર સહિતના વ્યક્તિઓ હેબતાઈ ગયા હતા. તેઓએ રોહિતને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કર્યા પછી સારવાર કારગત નિવડે તે પહેલાં રોહિતનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.
આ બનાવની પોલીસને જાણ કરાતા સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ધસી ગયો હતો. પોલીસે મૃતક રોહિતના પિતા દિલાભાઈ પરમારની ફરિયાદ પરથી નરેશ તેમજ સુજલ અને વિમલ પરમાર સામે ગુન્હો નોંધી ત્રણેય આરોપીના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial