Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રી પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી
ભાણવડ તા. ર૯: ભાણવડ વિસ્તારમાં નવરાત્રી પર્વની ભક્તિરસ માહોલમાં ઉજવણી થઈ રહી છે. શહેરમાં પુરૂષાર્થ વિદ્યા મંદિર સહિત વીશથી વધુ ગરબીઓમાં માના રાસ ગરબાથી ભક્તિરસ રેલાઈ રહ્યો છે.
શહેરમાં સરકીટ હાઉસ પાસે પુરૂષાર્થ વિદ્યા મંદિર દ્વારા પ્રાચીન રાસ ગરબા યોજાઈ રહ્યા છે, વિશાળ મેદાન અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમથી ભાઈ-બહેનો પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, શીક્ષણની સાથે સાથે બાળકો ભારતીય સંસ્કૃતીમા આવતાં નવરાત્રી પર્વમાં માતાજીની ભક્તિનું મહત્વ સમજી શકે એ માટે ટ્રસ્ટનાં પ્રમુખ અને શીક્ષણ પ્રેમી એવા ભીમસીભાઈ કરમુર દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.
પ્રારંભમાં મા જગદંબાની આરતી અને ત્યાર પછી પુરૂષાર્થ વિદ્યા મંદિરનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન રાસ-ગરબા રમી રહ્યા છે, ખાસ કરી આ પુરૂષાર્થ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતાં બાળકોનાં શિક્ષણ કાર્યને કોઈ અસર ના પહોંચે એ માટે ગરબીનો સમય સાંજે સાડા પાંચ થી સાડા આઠ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
ટ્રસ્ટના પ્રમુખ ભીમસીભાઈ કરમુર, જાણીતા ઈતિહાસકાર નરોતમભાઈ પલાણ, એડવોકેટ બલદેવભાઈ વારોતરીયા, મામલતદાર જલ્પેશ બાબરીયા, હિરાબેન વારોતરીયા હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial