Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની એસ્ટેટ શાખાની અવિરત કામગીરી
જામનગર તા. ૧: જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે બર્ધનચોક, દરબારગઢ, સાધના કોલોની માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને અનેક ધંધાર્થીઓનો માલસામાન જપ્ત કર્યો હતો.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલા અનેક દિવસથી સતત દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે ગઈકાલે પણ યથાવત રીતે ચાલુ રહેવા પામી હતી.
ગઈકાલે બર્ધનચોક, દરબારગઢ વિસ્તારમાં દબાણહટાવ ઝુંબેશ કરીને ધંધાર્થીઓને દૂર ખસેડી કેટલોક માલસામાન પણ જપ્તિમાં લીધો હતો. આ સમયે ધંધાર્થીઓ અને એસ્ટેટ વિભાગની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થવા પામી હતી.
આ ઉપરાંત રણજીત સાગર માર્ગ, સાધના કોલોની, સંગમબાગ પાસે પણ ધંધાર્થીઓને દૂર ખસેડ્યા હતાં અને તેમનો પણ ટેબલ-ખુરશી સહિતનો માલસામાન કબજે લેવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial