Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.ટી. વિભાગનો વહીવટી નમ્ૂનો
સડોદર તા. ર૦: જામનગરના એસ.ટી. વિભાગનો ગેરવહીવટ પ્રકાશમાં આવતા ચર્ચા જાગી છે. જામજોધપુર ડેપોમાંથી મુસારફો ભરેલી બસ રવાના થયા પછી પરત બોલાવી તેના ડ્રાઈવરને અન્ય રૂટ ઉપર મોકલી દેવાતા મુસાફરો રઝળી પડ્યા હતાં.
ગત્ તા. ૧૪-૧-ર૦ર૬ ના જામજોધપુર-રાજકોટ વાયા બુટાવદરની બસ મુસાફરો સાથે રવાના થઈ હતી. બે કિ.મી. દૂર સુધી ગયા પછી ટેલિફોનિક સંદેશો પાઠવી આ બસને પરત ડેપોમાં પાછી બોલાવાઈ હતી અને તે બસના ડ્રાઈવરને જામજોધપુરથી હિંમતનગર જતી બસમાં મોકલી દેવાયા હતાં. આમ જામજોધપુર-રાજકોટ બસના મુસાફરો રઝળી પડ્યા હતાં.
તા. ૧૮-૧-ર૦ર૬ ના રાત્રે ૧ર કલાકે ઉપડતી જામનગર-અમદાવાદ રૂટની બસમાં કંડક્ટર આવ્યા ન હતાં. આમ તા. ૧૯ ના ઉપડતા જામનગર-ગણોદ રૂટની બસના કંડક્ટરને બોલાવીને મોકલ્યા હતાં તથા તા. ૧૮ ના કંડક્ટર પાસે ડબલ ટ્રીપ કરાવાઈ હતી.
એસ.ટી. વિભાગમાં નિયમ છે કે ર૪ કલાક અગાઉ નોકરી ફાળવવામાં આવે છે, તો આવા ડખ્ખા શા માટે થઈ રહ્ય છે?
જામનગર ગણોદ રૂટની બસનો સમય ૪-૧પ ના કરવાથી ગાયત્રી આશ્રમ જતા શ્રદ્ધાળુઓ આરતીના સમયે પહોંચતા નથી તથા ભક્તોને રસોડું બીજી વખત ખોલીને ભોજન કરાવવાની ફરજ પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial