Advertisement
Author: નોબત સમાચાર

અમરનાથ યાત્રા સંઘે બાબા બરફાનીના પવિત્ર દર્શન કરીને ધન્યતા અનુભવી

જામનગર શહેરમાંથી રવાના થયેલ પ્રથમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર શહેરમાંથી બાબા બરફાનીના પવિત્ર દર્શનાર્થે રવાના થયેલો પ્રથમ અમરનાથ યાત્રા સંઘ સફળતાપૂર્વક અમરનાથ ધામ પહોંચી ગયો છે. વિવિધ ટ્રેન અને અન્ય વાહન વ્યવસ્થાના માધ્યમથી યાત્રાધામ પહોંચેલા તમામ શિવભક્તોએ પવિત્ર હિમલિંગ સ્વરૂપે બિરાજમાન બાબા બરફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

યાત્રા દરમિયાન અનેક સ્થળોએ વરસાદ તેમજ પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો હોવા છતાં શિવભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. કઠિન ચઢાણ અને પડકારજનક માર્ગ પાર કરીને શ્રદ્ધાળુઓ ભારે ભક્તિભાવ સાથે અમરનાથ ગુફા સુધી પહોંચ્યા હતા.

અમરનાથ ગુફામાં પહોંચતા જ *બમ બમ ભોલે* અને *હર હર મહાદેવ*ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. બાબા બરફાનીના દિવ્ય દર્શન કરીને યાત્રાળુઓએ પોતાના જીવનને ધન્ય ગણાવ્યું હતું અને સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. યાત્રા સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે, માર્ગમાં વરસાદ અને અન્ય મુશ્કેલીઓ હોવા છતાં બાબા બરફાની પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિના બળે યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. જામનગરના તમામ શિવભક્તોમાં આ સફળ યાત્રાને લઈને આનંદ અને ભક્તિમય માહોલ જોવા મળી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh