Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બારી-બારણાં ખખડ્યાઃ દોઢ કલાકમાં બે આંચકા
જામનગર તા. ૭: જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગઈકાલે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતાં.
સૌરાષ્ટ્રમાં ભૂકંપની ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોય, તેમ જોવા મળી રહ્યું છે.
થોડા દિવસ પહેલા ભાણવડ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
ગઈકાલે પોરબંદર અને લાલપુર પંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતાં. લોકો ભયભીત બન્યા હતાં. લાલપુર પંથકમાં દોઢ કલાકના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જેની તીવ્રતા ૧.૮ ની નોંધાઈ છે, અને કેન્દ્રબિંદુ ૩૪ થી ૩પ કિ.મી.નું નોંધાયું છે.
આ ભૂકંપના આંચકાની ઘટનાથી બારી-બારણાં ખખડી ઉઠ્યા હતાં અને લોકોમંં ભય ફેલાયો હતો. જો કે, આ આંચકાથી કોઈ નુકસાની થવા પામી ન હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial