Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉનહોલમાં નેહા શુક્લા દિગ્દર્શિત નૃત્ય નાટિકા 'પાટણની પટરાણી'

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: ગુજરાત રાજ્ય સંંગીત અકાદમીના આર્થિક સહયોગથી જામનગરના ટાઉનહોલમાં પ્રફુલ છાપીયા લિખિત નગરના ગૌરવ સમાન ગૌરવ પુરસ્કૃત કોરિયોગ્રાફર ડો.નેહા શુકલના નિદર્શનમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભક્તિના ભાવ સાથે નૃત્ય નાટિકા 'પાટણની પટરાણી' વિશાળ પ્રેક્ષકગણ વચ્ચે પ્રસ્તુત થઈ હતી.

જામનગર ટાઉનહોલમાં યોજાયેલ નૃત્ય નાટિકા મંચનમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સંસ્કાર ભારતીના જિલ્લા અધ્યક્ષ ઉત્પલ દવે, નાટ્ય દિગ્દર્શક લલીત જોશી, એડવોકેટ કમલેશ સોઢાની ઉપસ્થિતિમાં કરન ઉપાધ્યાય, વેદિકા જૈન, ઉદય સુથાર, ઈશાન ખેરે, હર્ષિલ રાજપૂત, હર્ષલ કટારીયા, રાજદીપ ગોહિલ, લલીત જોશી, ઓમ જોશી, હિરેન શુકલા, વિજયસિંહ ગોહિલ, પાર્થ પંડયા, દર્શી મારૂ, હેત્વી વડગામા, કાર્તિક પીઠડીયાના અભિનય સાથે પ્રોડક્શન મેનેજમેન્ટઃ કલ્પેશ જોશી, કમલેશ પંડયા, નેપ્થય પ્રકાશઃ વિનાયક સાઉન્ડ અને લાઈટ સન્ની વેશઃ કલ્પેશ જોશી મુદ્રા ગૃપ સહાયકઃ કિશોર અગ્રાવત, વિજયસિંહ ગોહિલનું રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh