Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધરારનગર વિસ્તારમાં યુવાન પર ચાર શખ્સ દ્વારા ઘાતક હથિયારથી હુમલો

નેપાળી યુવાનને પાડોશીએ માર માર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં ધરારનગર વિસ્તારમાં એક યુવાન પર તલવાર, છરી, પાઈપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગાળો બોલવાની ના પાડતા આ હુમલો થયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં ધરારનગર-ર અબુ હનીફા મસ્જિદ પાસે રહેતા ઝીકરભાઈ ઝાકીરભાઈ ભાયા નામના ૩૮ વર્ષના યુવાન પર ગત તા.૧પના બપોરના રમઝાન તાલબભાઈ સમેજા, અસગર તાલબભાઈ સમેજા, યાસીન સમેજા અને મુબારક સમેજાએ તલવાર, છરી અને પાઈપ તથા ધોકા વડે હુમલો કર્યાે હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઝીકરભાઈ ભાયા પર આ હુમલો કરવામાં આવ્યો હતો જેની ફરિયાદના આધારે ગુન્હો નોંધવામાં આવ્યો છે અને પોલીસ સબ ઈન્સ. એમ.વી. મોઢવાડીયા આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરમાં હાલાર હાઉસ પાસે રહેતા અને મૂળ નેપાળના લાલબહાદુર તીલબીર વિશ્વકર્મા નામના સાડત્રીસ વર્ષના યુવાનને તેની પાડોશમાં રહેતા કરણભાઈ નામના શખ્સે ફડાકા ઝીંકી દીધા હતા. આ સમયે લાલબહાદુરના પત્ની વચ્ચે છોડાવવા પડતા તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કરણભાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh