Advertisement
Author: નોબત સમાચાર

રૂ.૭પ હજારની લાંચના કેસમાં સરપંચના પતિ અને વચેટીયાને કરી દેવાયા જેલહવાલે

ખાણના લીઝધારક પાસે મંગાઈ હતી લાંચઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: કાલાવડ રોડ પર ભલસાણ બેરાજા ગામ પાસે આવેલી બેલાની ખાણના સંચાલક પાસે રૂ.૭પ હજારની લાંચ મંગાયાનો ગુન્હો નોંધ્યા પછી એસીબીએ બેરાજાના મહિલા સરપંચના પતિ અને વચેટીયાની ધરપકડ કરી હતી. આ બંને આરોપીને જેલહવાલે કરાયા છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા ભલસાણ બેરાજા ગામ પાસે બેલાની એક ખાણ લીઝ પર ચલાવતા આસામીને બેરાજા ગ્રામ પંચાયત કચેરી દ્વારા કોઈ હેરાનગતિ કરવામાં ન આવે તે માટે બેરાજા ગામના મહિલા સરપંચના પતિ દિનેશ તેજાભાઈ જેપાર દ્વારા રૂ.૭પ હજારની લાંચની માગણી કરાયાની એસીબીમાં ફરિયાદ થઈ હતી. જેના પગલે શુક્રવારે ગોઠવાયેલા છટકામાં સરપંચ પતિ વતી લાંચ લેતો હમીર દેવરાજ સોલંકી ઝડપાયો હતો.

બંને શખ્સની એસીબીએ ધરપકડ કર્યા પછી શનિવારે સાંજે જામનગર સ્થિત ખાસ એસીબી કોર્ટમાં બંને આરોપીને લાંચ-રૂશ્વત વિરોધી શાખાના તપાસનીશે રજૂ કર્યા હતા. આ બંને આરોપીને જેલહવાલે કરવાનો આદેશ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh