Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્યોઃ
જામનગર તા. ૨૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સમગ્ર દેશમાં 'સેવા પખવાડિયા'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગર જિલ્લા ભાજપ દ્વારા દરેડ ગામમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં નિલકંઠ મહાદેવ મંદિરે વડાપ્રધાન મોદીના નિરામય અને દીર્ઘ આયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્રના જાપ, રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ મંદિરના પ્રાંગણમાં સફાઈ કરવામાં આવી હતી.
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આયુષ મંદિરમાં ટી.બી.ના દર્દીઓને કીટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ વિધાનસભામાં આવતા તમામ દર્દીઓને પોષણયુક્ત પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, જિલ્લા ઉપપ્રમુખ નાથાભાઈ વારસાકીયા, રામજીભાઈ પરમાર, ગામના આગેવાનો ભરતભાઈ, ભાવનાબેન, પ્રકાશભાઈ હરીયાણી, ભરતભાઈ સોનગરા, ગોવિંદભાઈ ખરા, શાંતિલાલ નશીત, કેશુભાઈ લૈયા, ચંદુભા કેર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરીએ જણાવેલ કે, જામનગર જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના તમામ દસેય મંડલમાં વિવિધ સેવાકીય કાર્યો, સફાઈ અભિયાન, મંદિરોમાં વિશિષ્ટ આરતી, આરોગ્ય કેમ્પ, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, બૌધિક સંમેલન, પ્રદર્શન સહિતના અનેક કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial