Advertisement
Author: નોબત સમાચાર

ભુવા સાથે થયેલા મનદુઃખનો ખાર રાખી ભોગાતના યુવાન પર ટોળાએ કર્યાે હલ્લો

માર્ગમાં રોકી લાકડી-પાઈપથી ફટકારી ફ્રેક્ચર કર્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૯ : કલ્યાણપુરના ભોગાત ગામમાં રહેતા એક યુવાનને એકાદ વર્ષ પહેલાં ભુવા સાથે મનદુખ થયા પછી ગઈકાલે આ યુવાન દર્શન કરવા માટે લાંબા ગામ આવ્યા હતા. ત્યારે તેઓને આઠ શખ્સે રોકી પાઈપ-લાકડીથી માર મારી ફ્રેક્ચર સહિતની ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના નવાપરામાં રહેતા જીવાભાઈ કરશનભાઈ કંડોરીયા નામના યુવાનને એકાદ વર્ષ પહેલાં લાંબા ગામમાં રહેતા વાછરા ડાડાના ભૂવા દેવશીભાઈ સાથે કોઈ બાબતે મનદુખ થયું હતું.

ત્યારપછી ગઈકાલે જીવાભાઈ લાંબા ગામમાં વાછરા ડાડાના મંદિરે દર્શન કરવા આવ્યા પછી પરત જતા હતા ત્યારે માર્ગમાં તેઓને જુઠાભાઈ મેરામણ ચેતરીયા, પરબત ચેતરીયા, ભુવાના બનેવી તથા પાંચ અજાણ્યા શખ્સે આંતરી લીધા હતા.

આ વ્યક્તિઓએ મોટરમાં આવી જીવાભાઈને રોક્યા પછી ગાળો ભાંડી હતી અને જુઠાભાઈએ પાઈપ ઝીંકયો હતો. ભુવાના બનેવીએ પણ પાઈપથી ફટકો મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ ટોળાએ જીવાભાઈને મંદિરે આવી માફી માંગવાનું કહેતા તે સ્વીકારી જીવાભાઈ ફરીથી મંદિરે જતા ત્યાં પણ આ આઠેય શખ્સોએ હથિયારોથી હુમલો કરી જીવાભાઈને આડેધડ માર માર્યાે હતો. કલ્યાણપુર પોલીસ મથકમાં તેની ફરિયાદ નોંધાવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh