Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજનું વિષચક્ર કારણભૂત?
જામનગર તા.ર૯ : જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક મહિલાએ રવિવારે રાત્રે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મહિલા વ્યાજના વિષચક્રમાં ફસાયા હોવાનું ખૂલ્યું છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા સાયરાબેન હનીફભાઈ કુંગડા નામના એક મહિલાએ રવિવારે રાત્રે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓની સારવાર શરૂ કરી હતી.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ મહિલા વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા પછી તેઓએ જિંદગીનો અંત આણવાનો નિર્ણય કરી વિષપાન કર્યું છે. પોલીસે તેણીનું નિવેદન નોંધવા તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial