Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાના મુસ્લિમ દાનવીર બે પુત્રોના જન્મદિને વિશેષ સન્માનઃ ગાયોને ઘાસચારો

હિન્દુ-મુસ્લિમના તમામ વાર-તહેવારે સેવા આપતા

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૬: કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના હિન્દુ-મુસ્લિમ સમાજમાં દાતા સેવક તરીકે મોટું નામ ધરાવતા હાજી જુસબભાઈ અબ્બાસભાઈ ખીરાના પુત્ર સાહિલ અને સોહિલનો તા. ૩૧-૮-૨૫ના જન્મ દિવસ હોવાથી ભાટીયાના જય મુરલીધર ગૌ સેવા ધામ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ હાજી જુસબભાઈ અબ્બાસભાઈ ખીરા કોઠાવાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ હિન્દુ-મુસ્લિમના કોઈપણ વાર-તહેવારો પ્રસંગમાં હર હંમેશ સેવા આપતા રહ્યા છે. સાથોસાથ યુસુફભાઈ પરાસર અને એસ.ટી.માં ફરજ બજાવતા સેવક અને પીરે તરીકત સૈયદ મીયાબાપુ ઝંઝુડાવાળા સરપંચનું પણ સન્માન કરાયું હતું. જુસબ ભાઈએ પોતાના બંને પુત્રોના જન્મ દિવસ નિમિત્તે ગૌશાળાની તમામ ગાયો માટે ઘાસચારો અર્પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મુંબઈથી હાજી આદમભાઈ હાજી અલ્લારખાભાઈ રીંડાણી (લાંબાવાળા) એ ખાસ હાજરી આપી હતી. આ સાથે ડી.એલ.પરમાર, વશરામભાઈ વેજાણંદભાઈ, પરેશ દાવડા, વસીમભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh