Advertisement
Author: નોબત સમાચાર

ડીસીસીના ખૂલ્લા પ્લોટમાં તા. ૩ અને ૪ નવેમ્બરે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા થશે લોક સુનાવણી

સિક્કા નજીક જેટીના વિસ્તરણ અને નવીનિકરણ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર જિલ્લાના સિક્કા નજીકની દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા જેટીના વિસ્તરણ અને નવીનિકરણ માટે આગામી સમયમાં લોકસુનાવણી રાખવામાં આવી છે. જેમાં અસરકર્તાઓને ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો રજૂ કરવા જાહેર આહ્વાન કરાયું છે.

દિગ્વિજય ગ્રામની ડીસીસી કંપની દ્વારા લાઈટ રેજ જેટીના વિસ્તરણ માટે કાર્ગો મીશ્રણની ક્ષમતા ૦.પ૬ મિલિયન ટન પ્રતિવર્ષની વધારીને પ મિલિયન ટન પ્રતિવર્ષ કરવા માટેની પરીયોજના માટે લોકસુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આગામી તા. ૪-૧૧-ર૦રપ ના સવારે ૧૦-૩૦ કલાકે ડી.સી.સી.ના ખુલ્લા પ્લોટમાં લોકસુનાવણી જિલ્લા કલેકટર/ડેપ્યુટી કમિશનર અથવા તેના પ્રતિનિધિના અધ્યક્ષસ્થાને આ લોક સુનાવણી યોજાશે. આ ઉપરાંત ડીસીસી દ્વારા જુની જેટીનું નવીનિકરણ તથા હાલના બર્થનું નવીનિકરણ અને વિકાસ કરવા તેમજ બલ્ક કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા ૪ મિલિયન ટન પ્રતિવર્ષથી ૧૦ મિલિયન પ્રતિટન કરવાનું આયોજન કરાયું છે. તે અંગે પણ તા. ૩-૧૧-ર૦રપ ના ડીસીસીના ખુલ્લા પ્લોટમાં લોક સુનાવણી રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh