Advertisement
Author: નોબત સમાચાર

સંયુક્ત કુટુંબની મિલકતમાં હિસ્સો ખરીદવામાં ત્રાહિત વ્યક્તિ કરતા સહ હિસ્સેદારનો છે અગ્રહક્કઃ કોર્ટ

હિસ્સો ખરીદનાર સામે ફરમાવાયો મનાઈહુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરમાં આવેલી સંયુક્ત કુટુંબની એક મિલકત અંગે એક હિસ્સેદારે પોતાનો ભાગ અન્યને વેચાણ કરતા અદાલતમાં દાવો નોંધાવી વચગાળાનો મનાઈહુકમ મંગાયો હતો. અદાલતે દાવાના આખરી નિકાલ સુધી મિલકતના ખરીદનાર સામે મનાઈહુકમ ફરમાવ્યો છે.

જામનગર શહેરમાં રે.સ.નં. ૯૫૪માં આવેલી ખેતીની જમીન નઝીમ મહંમદ માડકીયા, રીઝવાન હનીફ મકવાણા, ગની ઈસ્માઈલ મકવાણા, ઈબ્રાહીમ કાસમ સહિત બાવીસ વ્યક્તિના નામે આવેલી છે. તે મિલકતમાંથી ગની ઈસ્માઈલ મકવાણાએ પોતાનો અવિભાજ્ય હિસ્સો વેચવા માટે તૈયારી કરતા બાકીના હિસ્સેદારોએ તે ખરીદી લેવા તૈયારી બતાવી હતી.

તેમ છતાં ગની ઈસ્માઈલે પોતાનો હિસ્સો નિશા જસ્મીનભાઈ ફળદુને વેચી દસ્તાવેજ બનાવી આપ્યો હતો. આથી સંયુક્ત મિલકતમાં સહમાલિકને અવિભાજ્ય હિસ્સો ખરીદવામાં કાયદા મુજબ અગ્રહક્ક હોવા છતાં તેનું ઉલ્લંઘન કરી અન્યને હિસ્સાનું વેચાણ કરાતા અન્ય સહમાલિકમાંથી નઝીમ અને રીઝવાનને દીવાની અદાલતમાં દાવો નોંધાવી વચગાળાનો મનાઈહુકમ માંગ્યો હતો.

તે અન્વયે થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે વાદીના અગ્રહક્કના અધીકારને માન્ય રાખી દાવાના નિકાલ સુધી તે મિલકતમાં પ્રવેશ ન કરવા અને મિલકત અંગે કોઈ વ્યવહાર ન કરવા નિશાબેન ફળદુ સામે મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદીઓ તરફથી વકીલ ડો. વી.એચ. કનારા તથા એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.ડી. વરૂ, વી.એસ. ખીમાણીયા, જે.એ. નંદાણીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh