Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષ પહેલાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૮: જામનગરમાં ઈન્દિરા માર્ગ પર ત્રણ વર્ષ પહેલાં રાત્રિના સમયે એક સાયકલ સવારના ખિસ્સામાંથી મોબાઈલની લૂંટ કરવામાં આવી હતી. તે ગુન્હામાં ઝડપાયેલા આરોપી પૈકીના એકનો છૂટકારો થયો છે.
જામનગરના એક આસામી ગઈ તા.૮-૬-રરના દિને સાયકલ પર ટાઉનહોલથી સાતરસ્તા થઈ ઈન્દિર માર્ગ તરફ જતા હતા ત્યારે બાજુમાં આવેલી એક રિક્ષામાંથી એક શખ્સે આ વ્યક્તિના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરી લીધી હતી.
આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે શરૂ કરેલી તપાસમાં સુરેશ મગન વાઘેલા, પ્રકાશ ઉર્ફે લાલા બારોટ, કિશોર મોખરાની ધરપકડ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પૈકીના પ્રકાશ ઉર્ફે લાલા બારોટનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજીવ વાઘેલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial