Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાગૃત નાગરિકે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી પરંતુ
જામનગર તા. ૧૦: જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (જાડા)ની જનરલ બોર્ડની બેઠકમાં ઝોનફેરના ઠરાવો કર્યા હોવાનું જણાવી જામનગરના જાગૃત નાગરિક અને ન.પ્રા.શિ. સમિતિના પૂર્વ સદસ્ય નીતિનભાઈ માડમે ઝોનફેરની હીલચાલથી લઈને ઠરાવો થઈ ગયા તે અંગેની તમામ વિગત માહિતી અધિકાર નિયમ હેઠળ માંગી હતી પરંતુ જાડાના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા સંતોષકારક જવાબ મળ્યો નથી. એક ટૂંકો પત્ર આપી દેવામાં આવ્યો અને તેમાં પણ 'ઝોનફેર'નો ઉલ્લેખ સુદ્ધા જાણીજોઈને કરવામાં આવ્યો નથી.
જાડા દ્વારા કરવામાં આવેલા આ વિવાદાસ્પદ ઝોનફેરના ઠરાવ તથા તે અંગેની કાર્યવાહી સામે નીતિનભાઈ માડમે જિલ્લા કલેક્ટર તથા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજુઆતો કરી હતી અને તેના કારણે બંને તંત્રમાંથી મુખ્ય કારોબારી અધિકારીને અરજદારને સંતોષકારક જવાબ સાથે તમામ વિગતો આપવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી જાડા કચેરી દ્વારા કોઈ જવાબ આપવાની દરકાર કરવામાં આવી નથી.
આથી અરજદારે તેમની માંગણી હજી પેન્ડીંગ જ હોવાનું જણાવ્યું છે અને જો તાકીદે સરકારની સૂચના પ્રમાણે જવાબ અને માહિતી આપવામાં નહીં આવે તો અદાલતમાં સમગ્ર પ્રકરણ પડકારવામાં આવશે તેવી ચિમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial