Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડેલ કેરિયર સેન્ટર અને રિવાબા જાડેજાના ઉપક્રમે
જામનગરમાં યુવાનો માટે આજે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક યુવક-યુવતીઓ ઉમટી પડ્યા હતા. કંપનીઓ દ્વારા તેમની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. જામનગરમાં યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડેલ કેરીયર સેન્ટર, જામનગર અને ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે આજે તા. ૧૨ ના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબફેરમાં ૩૫ જેટલી ખાનગી કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મેઈન રોડ, વિશ્વકર્મા સમાજની વાડીમાં સવારે ૧૦ વાગ્યાથી જોબફેરનો પ્રારંભ થયો હતો. જેમાં અસંખ્ય નોકરી વાંચ્છુક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય નવતનપુરી ધામ ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ચત્રભુજદાસજી મહારાજ, ધારાસભ્ય અને કાર્યક્રમના આયોજક રિવાબા જાડેજા, ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા, પી.એસ.જાડેજા, મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા આશિષ જોશી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો અશોકભાઈ નંંદા, નિલેશભાઈ ઉદાણી, વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર ધિરૂ.ભાઈ કનખરા, પ્રતિભાબેન કનખરા અને કનકસિંહ જાડેજા તથા મેરામણ ભાટુ વિજયસિંહ જેઠવા, દિલીપભાઈ ભોજાણી અને ગોવુભા ડાડા વગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial