Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના લતીપરમાં પાણી વાળતી વખતે હૃદયરોગનો હુમલો આવતા પ્રૌઢનું મૃત્યુ

મૃતકના પુત્રનંુ પોલીસે નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: ધ્રોલના લતીપર ગામમાં રહેતા એક પ્રૌઢ શુક્રવારે પોતાના ખેતરમાં પાણી વાળતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા પછી મોતને શરણ થયા છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા વિપુલગર ભીખુગર ગોસાઈ નામના ૫ંચાવન વર્ષના પ્રૌઢ પોતાના ખેતરમાં શનિવારે સાંજે ઉભા પાકમાં પાણી વાળી રહ્યા હતા.

ત્યારે તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છેે. તેમના પુત્ર વિવેકગીરી ગોસાઈએ પોલીસને વાકેફ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh