Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડગામા પરિવારના સહયોગથી આયોજનઃ
ખંભાળીયા તા. ૨૩: આગામી તા. ૩૧-૧-૨૬ના સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગટય દિવસ હોય, ખંભાળીયા ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વરકર્મા જયંતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવસે ધામધૂમથી ઉજવણી સાથે અનેક કાર્યક્રમોના આયોજનો થયા છે. તથા રેલવે સ્ટેશન રોડ પર જ્ઞાતિના સંકુલને તથા વિશ્વકર્મા મંદિરને સુંદર રીતે શણગારવામાં આવશે. તથા વહેલી સવારે વિશ્વકર્મા મંદિરે મંગળા આરતી, પાટોત્સવ હવન, નૂતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમૂહ ભોજન, વિદ્યાર્થી સન્માન સમારોહ, સંધ્યા સમૂહભોજન તથા રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે.
આ ભવ્ય કાર્યક્રમોના સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે ખાખરડા વાળા જયા ફર્નિચરવાળા ઠાકરશીભાઈ ગોરધનભાઈ વડગામા પરિવાર છે.
આ મહોત્સવમાં સુતાર જ્ઞાતિના તેજસ્વી છાત્રો તથા દાતાઓના ભવ્ય સન્માન થશે. જેના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ-ગાંધીનગરના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા જામનગરના ડો. ખુશ્બુ સુરેલીયા તથા જ્ઞાતિના મહાનુભાવો સાથે શહેર તથા બહારગામથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે. ખંભાળીયા શહેર, તાલુકાના સુતાર જ્ઞાતિજનોને પધારવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial