Advertisement
Author: નોબત સમાચાર

અન્નપૂર્ણા સર્કલની મધ્યમાં કાર્ટુનના પૂતળા મુકાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠ લાખના ખર્ચે

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સમયાંતરે બ્યુટીફિકેશનના કામ કરવામાં આવી રહૃાા છે, જેના ભાગરૂપે અન્નપૂર્ણા સર્કલની મધ્યમાં આઠ લાખના ખર્ચે કાર્ટૂન ના પૂતળા સાથેનું આકર્ષક લેન્ડસ્કેપ તૈયાર કરાયું છે, અને નગરના સુશોભનમાં વધારો થયો છે. જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા મ્યુનિ. કમિશનર ડી એન મોદીના માર્ગદર્શન હેઠળ સિટી ઇજનેર ભાવેશ જાની, તેમજ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના રાજીવ જાની વગેરેની રાહબરી હેઠળ રૂપિયા આઠ લાખના ખર્ચે અન્નપૂર્ણા સર્કલને સજાવટ કરીને નવા રંગ રૂપ અપાયા છે. તે સર્કલની મધ્યમાં સ્પાઇડરમેન, ડોરેમોન, સીનચેન જેવા કાર્ટૂનના પૂતળાઓ મૂકીને નવુ આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh