Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર લેવા છતાં સારૃં થતું ન હતુંઃ
જામનગર તા. ૧૦ઃ જામજોધપુરના ઉમિયાનગર માં વસવાટ કરતા એક યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે. પોલીસે મૃતકના સંબંધીનંુ નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામજોધપુર શહેરના ઉમિયાનગર-૧માં રહેતા અમિતભાઈ હસમુખભાઈ ગઢેચા (ઉ.વ.૪૮) નામના યુવાન નવેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા જેની સારવાર ચાલુ હતી.
આમ છતાં સારૃ થતું ન હોવાથી કંટાળી ગયેલા અમિતભાઈએ ગઈકાલે સવારે પોતાના ઘરે દોરડા વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં આ યુવાનને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસને જાણ કરાતા જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. મૃતદેહને પી.એમ. માટે ખસેડી પોલીસે મૃતકના સંબંધી મહેશભાઈ જમનાદાસ ગઢેચાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial