Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વગર વ્યાજે હાથઉછીની રકમ લઈ ચેક આપ્યો હતોઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક આસામી સામે રૂ।.૭૦ હજારના ચેક પરતની કરવામાં આવેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા રૂ।.૭૦ હજારનો દંડ ભરવા આદેશ કર્યાે છે.
જામનગરના દેવરાજભાઈ વલ્લભભાઈ મકવાણા નામના આસામીને પૈસાની જરૂરત પડતા તેઓએ પોતાના મિત્ર તેજપાલસિંહ લખુભા રાઠોડ પાસેથી રૂ।.૭૦ હજાર વ્યાજ વગર ઉછીના લઈ તે રકમ પરત આપવા માટે ગયા માર્ચ મહિનાની તારીખનો ચેક આપ્યો હતો.
ચેક આપતા પહેલાં ઉપરોક્ત તારીખ પહેલાં જ પૈસા આપી દઈશ તેવો વિશ્વાસ આપ્યા પછી તારીખ આવ્યે તેજપાલસિંહે ચેક બેંકમાં રજૂ કર્યાે હતો. આ ચેક બેંકમાંથી પરત ફરતા કાયદા મુજબ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં તેજપાલસિંહે ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી દેવરાજભાઈ વલ્લભભાઈ મકવાણાની તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે મહિનાની કેદનો આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ પી. મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial