Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમઆદમી પાર્ટી દ્વારા
ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં ચાલતી એસઆઈઆરની કામગીરીમાં છેવાડામાં મતદારોના નામો રદ કરવા ફોર્મ નં. ૭ ભરીને નામ રદ કરવામાં ભાણવડ-ખંભાળીયામાં ખોટા ફોર્મ રજૂ કરાતા તથા ૭૦ થી ૮૦ આવા બનાવટી ફોર્મ રજૂ થયાનું કૌભાંડ આમઆદમી પાર્ટી દ્વારા પડકીને ફોજદારી ફરિયાદની તાજવીજ શરૂ કરાતા ભારે ચર્ચા જાગી છે.
ભાણવડ અને ખંભાળીયા વિસ્તારના ૭૦થી ૮૦ મતદારોના ફોર્મ નં ૭ ભરાયા છે જેમાં તેઓ નામ કમી કરાવવા અરજી કરી રહ્યા છે પણ ખરેખર તેમને ખબર જ નથી !! તેમની ખોટી સહીઓ કરાઈ છે, તો એક કિસ્સામાં અભણ મતદારની અંગ્રેજીમાં સહી થયાનું ભોપાળુ બહાર આવ્યું છે.!!
આવા ખોટા ફોર્મ બાબતે આમઆદમી પાર્ટી દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી કે.કે.કરમુરને લેખિત આપવામાં આવ્યું હતું. પણ આગળની કાર્યવાહી થઈ નથી. આ બાબતે પ્રતિક્રિયા માટે પુછતા પ્રાંત અધિકારીનો ફોન સતત નો રિપ્લાય રહ્યો હતો, જ્યારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજપૂતે તેમની પાસે કાંઈ ફરિયાદ નથી આવી, આવે એટલે નિયમ મુજબ પગલાં લેવા જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે એસઆઈઆરના નિયમ મુજબ આવું કાંઈ ખોટું ફોર્મ ભરે તો ફરિયાદ કરવી ફરજિયાત છે તથા એક વર્ષની જેલની જોગવાઈ પણ છે. ત્યારે આ મુદ્દેા ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial