Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વયેની બેઠકઃ
જામનગર તા. ૨૧: કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની દ્વિતીય ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત જુલાઈ -૨૫ થી સપ્ટેમ્બર-૨૫ (બીજો હપ્તો વર્ષ ૨૦૨૫-૨૬) ના કુલ ૯૨ દિવસ પ્રમાણે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર કુલ ૩૪ સંસ્થાઓએ અરજી કરેલ હતી. તે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૩૩ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરવામા આવી છે.
આમ, જિલ્લામાંથી કુલ ૩૩ સંસ્થાઓના બીજા તબક્કાના કુલ ૬૯૯૩ પશુઓ માટે પ્રતિદિન રૂ.૩૦/પશુ લેખે કુલ રૂ.૧,૯૩,૦૦,૬૮૦ ની સહાય મંજૂર કરવામાં આવી અને મંજૂર થયેલ અરજીઓને ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, ઘનિષ્ટ પશુસુધારણા યોજના સમિતિના જીલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને સમિતિના સભ્યો હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial