Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ પંથકમાંથી ત્રણ સગીરાના અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં ત્રણ આરોપીને થઈ સજા

એક આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાઃ ભોગ બનનારને ચૂકવાશે વળતરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯ઃ કાલાવડ પંથકની બે તરૃણીના જુદા જુદા સમયે અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના નોંધાયેલા બે ગુન્હામાં બે આરોપીને દસ-દસ વર્ષની કેદની સજા ફટકારાઈ છે. જ્યારે કાલાવડ પંથકના એક પરિવારની પોણા તેર વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં એક શખ્સને અદાલતે ૨૦ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.

કાલાવડ પંથકમાં વસવાટ કરતા એક પરિવારની બાર વર્ષ અને દસ મહિનાની વય વાળી પુત્રી સાથે વર્ષ ૨૦૧૮ માં એક ખેતરમાં મજૂરીકામ કરતા પંકજ તેરસિંગ બારીયા નામના બાવીસ વર્ષના શખ્સનો પરિચય થયો હતો.

ત્યારપછી આ શખ્સે તેણી ને પ્રેમજાળમાં ફસાવી વાત કરવા માટે મોબાઈલ આપ્યો હતો. જેમાં તે બંને વ્યક્તિ વાત કરતા હતા. તે દરમિયાન ગઈ તા.૩-૧ર-૧૮ના દિને આ તરૃણીને બસ સ્ટેન્ડ પાસે આવી જવા પંકજે સૂચના આપતા ત્યાં આવેલી તરૃણીને બસમાં બેસાડી પંકજ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ, સલાટપુર લઈ ગયો હતો અને આ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

તે પછી સુખસર ગામમાં અને ફરીથી સલાટપુર લઈ જવાયેલી તરૃણી પર દુષ્કૃત્ય ગુજારાયું હતું. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા આઈપીસી ૩૬૩, ૩૭૬ (જે) તેમજ પોક્સો એક્ટની હેઠળ ૪, ૬ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલવા પર આવતા અદાલતે સરકારી વકીલ ભારતીબેન વાદીની દલીલો ગ્રાહ્ય રાખી આઈપીસી ૩૭૬ (જે) તથા પોક્સો એક્ટની કલમ ૪, ૬ હેઠળ આરોપીને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૃા.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૬૩ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદ અને રૃા.૨ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૃા.૪ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.

જામનગર પંથકમાં વસવાટ કરતી એક સગીરા સાથે ગોકુલનગર વિસ્તારમાં રહેતા નયન કનુભાઈ પરમાર નામના શખ્સે મીત્રતા કેળવ્યા પછી વાતચીત કરવા મોબાઈલ આપ્યો હતો. તે પછી વર્ષ ૨૦૧૯ના માર્ચ મહિનામાં આ સગીરાને ધાર્મિક સ્થળે લઈ જઈ નયન પરમારે ફૂલહાર કરી લગ્ન થઈ ગયાનું જણાવી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તે પછી ફરવા માટે લઈ જઈ આ સગીરાને ભોગ બનાવી હતી.

તેની ફરિયાદ પોલીસમાં જે તે વખતે કરવામાં આવી હતી. ઉપરોક્ત કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી નયન કનુભાઈ પરમારને દસ વર્ષની કેદની સજા અને રૃા.૧૭ હજારનો દંડ ફટકાર્યાે છે. સગીરાને રૃા.ર લાખનું વળતર કમ્પેઈન્સેશનમાંથી ચૂકવવામાં આવશે.

કાલાવડમાં વસવાટ કરતા એક પરિવારની સગીરાને વર્ષ ૨૦૨૦માં રવિ ભલાભાઈ સોલંંકી નામનો શખ્સ ભગાડી ગયો હતો. તે સગીરાને રાજકોટ, મોરબી, સુરત અને કચ્છના માંડવીમાં લઈ જવામાં આવી હતી. તે દરમિયાન રવિ સોલંકીએ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું જેની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

તે કેસ ચાલી જતાં ખાસ પોક્સો અદાલતે આરોપીને ૧૦ વર્ષની કેદની સજા અને દંડનો હુકમ કર્યાે છે. આ કેસમાં પણ સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh