Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટકાઉ આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ અને 'સબ કા સાથ, સબ કા વિકાસ'
જામનગર તા. ૨: હાલારના સાંસદ પૂનમબેન માડમે કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવમાં જણાવ્યું છે કે ટકાઉ આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ અને સબ કા સાથ, સબ કા વિકાસ એમ ત્રણ કર્તવ્ય સ્તંભો સાથે વિકસિત ભારત તરફ કેન્દ્રીત કરતું અંદાજપત્ર છે.
બજેટ કર્તવ્ય ભવનની નવ્ય ઉર્જાસભર અંદાજપત્ર, ગરીબ, યુવા, અન્નદાતા, નારી- શકિત, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત ભાવ સાથે આર્થિક-સામાજિક સશકિતકરણ પુરૂ પાડશે.
એમ.એસ.એમ.ઈ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઈ નવા કર વેરા ન હોવાથી અને મંજૂરીઓનું સરળીકરણ, બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે.
બજેટ પ્રગતિના સીમા ચિહ્નો પાર કરતા ભવ્ય ભારતના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારૂ છે. એમ.એસ.એમ.ઈ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઈ નવા કર વેરા ન હોવાથી અને મંજૂરીઓનું સરળીકરણ, બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્ય ોગોને ગતિશીલતા પ્રદાન કરશે. ગરીબ, યુવા, અન્નદાતા, નારી-શકિત, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત ભાવ સાથે આર્થિક સામાજિક સશકિતકરણ પૂરૂ પાડશે.
યુવા શકિત સંચાલિત અંદાજપત્રમાં ગરીબો, વંચિતો, અન્નદાતા, અનુસૂચિત જાતિ-જનજાતિ, મહિલાઓના લાભ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના સરકારના સંકલ્પને સાકાર કરે છે અને પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપવાનું અને ટકાવી રાખવાનું છે, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવા સંબંધિત છે, ત્રીજું કર્તવ્ય, સબ કા સાથ, સબ કા વિકાસના વિઝન સાથે જોડાયેલું છે. ઈઝ ઓફ ડુઈંગ અને ઈઝ ઓફ લીવીંગને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, પર્યાવરણીય પ્રગતિ, આર્થિક સુધારાઓ, ટેરીફના ઘટાડા સહિતની સંખ્યાબંધ જનસુખાકારીની બાબતો અર્થતંત્રની દૃષ્ટીએ ક્રાંતિકારી પહેલ ગણાય છે જેનું લક્ષ્ય વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરવાનું છે.
વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફના દ્વાર ખોલે છે. સાથે સાથે ફીટ ઈન્ડિયા હેલ્ધી ઈન્ડિયા સાથે જામનગરના ડબલ્યુએચઓ ના ટ્રેડીશનલ મેડીસીન સેન્ટરને સંશોધનની દૃષ્ટીએ મહત્ત્વ આપતા તેમજ ગ્રીન ઈન્ડિયાને મજબુતી પ્રદાન કરતું આ બજેટ મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનોને વેગ આપવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરે છે. આઈ.ટી. અને એ.આઈ. સાથે ઉભરતા ઉદ્યોગો, ઉભરતા વિવિધ ક્ષેત્રોને મજબૂત સમર્થન પૂરૃં પાડવાની બાબતો આ બજેટમાં અભૂતપૂર્વ રીતે વણી લેવાઈ છે નાના અને મધ્યમ વેપાર-ધંધા-ઉત્પાદનથી રાષ્ટ્રના અર્થ તંત્રને વધુ વેગ મળે તે દૃષ્ટી સાથે, આવકવેરા સહિત ડયુટીઓ શેષ અને ચાર્જીસનું નવું માળખુ તૈયાર કરાયુ છે ઉપરાંત રોજબરોજના જીવન જરૂરિયાતના દરેક વર્ગ માટેના પાસાઓના સુભગ સમન્વય સાથે સુવિધાઓ-પ્રગતિ અને સુરક્ષાને સુનિશ્ચિત કરતા આ અંદાજપત્ર દેશના કરોડો નાગરિકોના હૃદયને સ્પર્શનારૂ બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર શહેર ભાજપનો પ્રતિભાવઃ
જામનગર તા. રઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા વર્ષ-ર૦ર૬-ર૭ ના અંદાજપત્ર અંગે જામનગર શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા પ્રતિભાવમાં જણાવાયું છે કે, આ બજેટની વિવિધ જોગવાઈઓના કારણે જામનગર હવે ઓઈલ સિટી ઉપરાંત ગ્રીન એનર્જી તથા મેડીસીન ટુરીઝમ કેન્દ્ર બનશે.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠન, ચૂંટાયેલ સભ્યો (સાંસદ, મંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો), મોરચાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટનું સીધું પ્રસારણ સામૂહિક રીતે શહેર ભાજપ કાર્યાલયમાં નિહાળવામાં આવ્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં 'વિકસિત ભારત' બનાવવાના લક્ષ્ય સાથે મુખ્યત્વે ટેકનોલોજી, ખેતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કેન્દ્રીય બજેટ-ર૦ર૬ ને શહેર ભારતીય જનતાપાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, રાજયમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષ જોશી, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોત્તમ કકનાણી, શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, વોર્ડ પ્રમુખો, મોરચાના અધ્યક્ષ, પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવેલ છે. ભારતીય જનતાપાર્ટી મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર તા. રઃ કેન્દ્રીય અંદાજપત્રમાં એમએસએમઈ માટે રૂ।. ૧૦ હજાર કરોડ અને એસએમઈ માટે રૂપિયા બે હજાર કરોડની જોગવાઈથી લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્નાએ કેન્દ્રીય અંદાજપત્રને આવકારી જણાવ્યું છે કે, અસંગઠીત ક્ષેત્રના પ્રભુત્વવાળા ટુ ટીયર અને થ્રી ટીયર શહેરના વિકાસ માટે વિશેષ ધ્યાન આપવાનો નિર્ણય આવકારદાયક છે.
વેપારી સમાજ તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન પૂરૃં પાડશે. ઈઝ ઓફ ડુઈંગથી સરળતા આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રીનો પ્રતિભાવ
જામનગર તા. રઃ જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળાએ કેન્દ્રીય અંદાજપત્રને મધ્યમવર્ગ માટે નિરાશાજનક જણાવ્યું છે.
તેમના પ્રતિભાવમાં જણાવ્યા પ્રમાણે સરકાર દાવો કરે છે કે, દેશના રપ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, તો પછી હજીપણ ૮૦ કરોડ લોકો મફત અનાજ ઉપર કેમ નભે છે...?
દેશનો મોટો વર્ગ અત્યારે ગરીબી, મોંઘવારી અને બેરોજગારીની ગંભીર સમસ્યાથી પિડીત છે. વિદેશીયાત્રા સસ્તી કરવાની જાહેરાત હાસ્યાસ્પદ છે. નાના રોકાણકારો પર સબ-ઈન્કમટેક્સ એસટીટીમાં વધારો અને બાય બેક પર ટેક્સ નાખવાથી શેરબજારમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. બ્રાસ સ્ક્રેપમાં ડ્યુટી વધારવાથી જામનગરના બ્રાસ ઉદ્યોગમાં નિરાશા ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખનો પ્રતિભાવ
જામનગર તા. રઃ કેન્દ્રીય અંદાજપત્ર અંગે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ પ્રતિભાવ વ્યક્ત કરી જણાવ્યું છે કે, જામનગરના બ્રાસ ઉદ્યોગ પર કોઈ નવા કરભારણ ન આવવાથી રાહત થઈ છે.
નવા સ્થપાવા જઈ રહેલા ઔદ્યોગિક એકમો માટે દરેક સરકારી મંજૂરીઓ એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સીસ્ટમ બાબતે જાહેરાત કરી છે કે, હાલમાં નાના તથા સામાન્ય રોકાણકારો પુરતા અભ્યાસ વગર શેરબજારમાં ફયુચર-ઓપશનમાં ડીલ કરતા હોય તેને નાણાંકીય ખોટ ન ખાવી પડે તે માટે તથા આવા વ્યવહારો પર અંકુશ લાવવા માટે માનવીય અભિગમ અપનાવી સીક્યોરીટી ટ્રાન્ઝેકશન ટેક્સમાં વધારો કરવાની તથા ઈન્સ્યુરન્સના ક્લેઈમ પર મળનાર આવકને પણ ટેક્સ ફ્રી જાહેર કરવાની જાહેરાત કરી છે.
આવકવેરો છુપાવવા પર કોઈ સજા નહીં, પરંતુ કર ભરપાઈ કરવાની જાહેરાત કરી તથા અપીલમાં જવાની ફી અગાઉ ર૦ ટકા હતી તેમાં ઘટાડો કરી ૧૦ ટકા કરવાની અને ખાસ કરીને વ્યાપાર/ઉદ્યોગ પર કોઈ નવા પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા નહીં નાખી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરાયો છે તે આવકાર્ય બાબત છે. દેશમાં પ્રદુષણ નિયંત્રણ માટે ઈ-વાહન નિર્માણ પર પ્રોત્સાહન, અધ્યાત્મક પર્યટનને પ્રોત્સાહન, સૌરઉર્જાને પ્રોત્સાહન, મેડિકલ ટુરીઝમ માટે સરળતા તથા કેન્સર તથા સુગરની જીવન રક્ષક દવાઓ પર ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે.
આત્મનિર્ભર ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા આર્થિક વિકાસની ગતીને તેજ કરવા માટે ખાસકરીને મેન્યુફેકચરીંગ, પરંપરાગત ઉદ્યોગોને પુર્નજીવીત કરવા, ચેમ્પિયન એમએસએમઈનું નિર્માણ કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા તથા પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ પર જોર રાખવાની તથા ખાસ કરીને નિકાસ પર ભાર મૂકવાની પણ વાત કરી છે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા સ્ક્રેપના વેચાણ પર વસુલાતા ૧ ટકા ટીસીએસને નાબુદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બજેટ સ્પીચ દરમિયાન નાણામંત્રીએ સ્ક્રેપના વેચાણ પર ટીસીએસનો દર ૧ ટકા હતો તે વધારીને ર ટકા કરવાની જાહેરાત કરેલ છે. આ ટીસીએસ વધારાથી મેન્યુફેકચરીંગ એકમો પર કોઈ અસર થશે નહી, પરંતુ વેપારીથી વેપારીને વેચાણ કરતા ટ્રેડર્સોને અસર થશે અને તેઓની મોટી કાર્યકારી મૂડી સરકાર લાંબા સમય સુધી રોકાઈ જશે.
અમેરિકન ટેરીફ તથા વૈશ્વિક અનિશ્ચિતતા જેવા અનેક પરિબળોથી અસરગ્રસ્ત દેશના અર્થતંત્રને તથા એમએસએમઈને વેગ આપવા માટે કોઈ વધારાનું કરભારણ નહીં નાખી દેશને એક વધુ વિકાસલક્ષી બજેટ આપવાના નિષ્ફાપૂર્વકના પ્રયત્નો કરેલા છે. પ્રાથમિક દૃષ્ટિએ બજેટ નાના ઉદ્યોગકારો માટે ફાયદાકારક બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો