Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ-જામનગરના સભ્યોની માંગણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિની કમિટીએ વાડીનું રિનોવેશન કરવાનું નક્કી કર્યું છે. જેમાં હાલ વાડીના ઉપરના ભાગે આધુનિક હોલ બનાવવા અને ઉપર જવા-આવવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિનોવેશનમાં રૂ।. ૨૫ લાખ અને લિફ્ટ માટે રૂ।. ૭ લાખ, આમ કુલ રૂ।. ૩૨ લાખનો ખર્ચ થશે. આ ઉપરાંત ગત વર્ષે વાડીના ઉપરના ભાગે બે બેડના ત્રણ બેડરૂમ તથા પાંચ બેડનો ૧ મોટો બેડરૂમ બનાવવામાં આવ્યો છે. આ બધા બેડરૂમમાં દાતાઓ માટે ડબલ બેડના ૧ રૂમ માટે રૂા ૩ લાખ, બે બેડરૂમના માટે રૂ।. ૪ લાખ, અને પાંચ બેડરૂમવાળા રૂમ માટે રૂ।. ૫ લાખનો નકરો નક્કી કરવામાં આવ્યો છે. સહયોગ કરનારા સર્વે દાતાના નામની તકતી દરેક રૂમ ઉપર લગાવવામાં આવશે. દાતાઓને આ કાર્યક્રમમાં સહયોગ આપવા તથા વધુ વિગત માટે સભ્ય યોગેશભાઈ વારીઆ (મો. ૯૮૨૪૨ ૧૮૦૦૮) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial