Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘાવી માહોલ વચ્ચે તાપમાનમાં આંશિક ઘટાડોઃ
જામનગર તા. ૯: જામનગરમાં મેઘાવી માહોલની સાથે સાથે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ યથાવત્ રહ્યો છે. એક ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૧.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વરસાદી માહોલના આંટાફેરાના પગલે છેલ્લા ઘણાં દિવસોથી મેઘાવી માહોલ યથાવત્ રહ્યો છે. સૂર્ય પ્રકાશ ભાગ્યે જ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળામાં પણ વધારો થયો છે. સરકારી તથા ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, પેટ અને માથામાં દુઃખાવો, તાવના કેસો વધારે નોંધાઈ રહ્યા છે.
જામનગરમાં વરસાદી માહોલની સાથે સાથે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ગઈકાલે પણ યથાવત્ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧.પ ડીગ્રી જ્યારે અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial