Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની શાળાઓમાં દેશભક્તિને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન

'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર જિલ્લાની શાળાઓમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશભક્તિને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ જિલ્લાની પ૬૬ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તારીખ ૬ થી ૧ર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. કુલ રર,૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેમાં ફૂલોની રંગોળી, તિરંગાવિષયક ક્વિઝ અને ધ્વજ ચિત્રકામ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તિરંગાની થીમ પર આકર્ષક રંગોળીઓ બનાવીને પોતાની સર્જનાત્મક્તાનો પરિચય આપ્યો હતો. આ સ્પર્ધાઓ ઉપરાંત વિદ્યાર્થીઓએ દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત વીર સૈનિકોને પોસ્ટકાર્ડ મોકલીને તેમનો આભાર માન્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh