Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પાયલોટ બંગલાથી ખોડિયાર કોલોની થઈને દિગ્જામ સર્કલ સુધી બનશે સિક્સલેન રોડઃ સ્થળ નિરીક્ષણ

સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી પછી મ્યુનિ. કમિશનર સહિતની ટીમ પહોંચી માર્ગ જોવા

                                                                                                                                                                                                      

જામનગરમાં પાયલોટ બંગલા સેન્ટરથી ખોડિયાર કોલોની થઈ દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ સિક્સલેન બનાવાનું કામ ગઈકાલે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજુર થયું હતું. આજે કમિશનર અને તેમની ટીમે સ્થળની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે મળી હતી, જેમાં પાયલોટ બંગલા (ઓશવાળ સેન્ટર) થી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ પહોળો કરી સિક્સ લેન બનાવવા માટે રૂ।. ૧પ કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. આ માર્ગે ભારે ટ્રાફિક રહેતો હોવાથી રોડને પહોળો કરવા માટેનો નિર્ણય લેવાયો છે. આ પછી આજે સવારે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતાં. તેમની સાથે આસી. કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, ઈજનેર રાજીવ જાની સહિતનાઓ પણ જોડાયા હતાં. મ્યુનિ. કમિશનરે જણાવ્યા મુજબ વચ્ચમાં એક મીટરનું ડીવાઈડર હશે તેમજ બન્ને તરફ પોણાચાર મીટરવાળા ટ્રેક બનશે. આશરે એકાદ વર્ષમાં આ કામ પૂર્ણ થશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh