Advertisement
Author: નોબત સમાચાર

મણિપુરમાં ટૂંક સમયમાં સરકાર રચાવાના એંધાણ

ભાજ૫ના ધારાસભ્યો પહોંચ્યા દિલ્હીમાં: એન.ડી.એ.માં દોડધામ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨: મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક હોવાથી એનડીએમાં દોડધામ શરૂ ગઈ છે. ભાજપના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે. તેથી નવી સરકાર ટૂંક સમયમાં રચાશે. તેવા સંકેતો મળી રહ્યા છે.

મણિપુરના ૨૦થી વધુ ભાજપ ધારાસભ્યો પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા છે. પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ પણ તેમની સાથે છે.

મણિપુર ભાજપના પ્રમુખ અધિકારીમાયુમ શારદા દેવીએ જણાવ્યું કે, 'તમામ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. અમને આશા છે કે જનતાની સરકાર બનશે.'

પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહૃાું, 'એનડીએના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોને બેઠકમાં આમંત્રણ આપવામાં આવી રહૃાું હોવાથી, મને સકારાત્મક પરિણામની આશા છે. અગાઉ, ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રપતિ શાસન ૧૨મી ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. અમને સકારાત્મક પરિણામની આશા છે.'

એન. બિરેનને પૂછવામાં આવ્યું કે જો તે સત્તામાં હોત તો પરિસ્થિતિ અલગ હોત, ત્યારે તેમણે કહૃાું, 'સરકાર એક ચાલુ પ્રક્રિયા છે. મેં મણિપુરમાં પરિસ્થિતિ બદલવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં. પહાડી અને ખીણ બંને વિસ્તારોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.' લામસંગ મતવિસ્તારના ધારાસભ્ય એસ. રાજન સિંહે કહૃાું, 'સરકાર રચવાની શક્યતા છે. જોકે, રાજ્યની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નેતાની પસંદગી કરવામાં આવશે. આ બેઠક સોમવારે સાંજે થવાની શક્યતા છે.'

ધારાસભ્ય એચ. ડિંગોએ જણાવ્યું હતું કે 'બેઠક સોમવારે સાંજે યોજાવાની છે, પરંતુ હજુ સુધી એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. અમને આજે જ દિલ્હી પહોંચવાનું કહેવામાં આવ્યું છે.'

ઉલ્લેખનીય છેકે, મે ૨૦૨૩થી મણિપુરમાં મૈતેઈ અને કુકી-ઝો જૂથો વચ્ચે વંશીય હિંસામાં ૨૬૦થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. ગયા વર્ષે ૧૩મી ફેબ્રુઆરીએ એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેન્દ્રએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું.

રાજ્ય વિધાનસભા, જેનો કાર્યકાળ ૨૦૨૭માં સમાપ્ત થાય છે, તેને સ્થગિત કરવામાં આવી હતી. ૬૦ સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે ૩૭ ધારાસભ્યો છે. એનડીએ સાથી એનપીપી અને નાગા પીપલ્સ ફ્રન્ટના રાજ્યમાં અનુક્રમે છ અને પાંચ ધારાસભ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh