Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા વિસ્તારમાં વન્ય પ્રાણીઓના રક્ષણમાં ફોરેસ્ટ વિભાગની બેદરકારી

એનીમલ કેર સંસ્થા દ્વારા રજૂઆતઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ર૮: ખંભાળીયામાં મૂંગા પશુપંખીઓની સેવા માટે કામ કરતી સંસ્થા એનીમલ કેર દ્વારા રાજયના વનમંત્રીને ખંભાળીયા વિસ્તારમાં જંગલખાતા દ્વારા શેડ્યુઅલ ઝોનમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં ગંભીર બેદરકારી થતી હોય, આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

તેમણે જણાવેલ કે, ખંભાળીયામાં એનીમલ કેર સંસ્થા મુંગા પશુ-પંખીઓની સેવા કરે છે, કેટલીક વખતે શેડ્યુઅલ કક્ષામાં આવતા પ્રાણીઓ રોઝ, શિયાળ, નીલગાય જેવા પ્રાણીઓને અકસ્માત થાય કે બીમાર પડે અથવા કોઈ શીકારી - પ્રાણીઓ હુમલો કરે ત્યારે સેવાભાવી લોકો દ્વારા જાણ કરાતા તેમની સંસ્થા ત્યાં જઈને આવા પ્રાણીઓને સારવાર માટે દવા વિગેરેની વ્યવસ્થા કરાવે છે. જેમાં કોઈ વખત આવા શેડ્યુઅલમાં આવતા પ્રાણીઓ મૃત્યુ પણ પામે છે. આ બાબતે વન વિભાગને જાણ કરવા છતાં તેઓ ક્યારેય કોઈ કાર્યવાહી કરતા નથી.

શેડ્યુઅલમાં આવતા આવા પ્રાણીઓની સારવારમાં ખાનગી, સામાજિક સંસ્થાને અધિકાર ના હોય, છતાં માનવતાના દાવે આ સંસ્થા કામ કરતી હોય છે ત્યારે વન વિભાગ કે જેમની જવાબદારી આવા પ્રાણીઓની છે, તેઓ કોઈ કામગીરી જ ના કરે તે કેવી રીતે ચાલે...??

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh