Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર દિવસ માટે બંધ રહેલા મકાનમાં હાથફેરોઃ
જામનગર તા. ૨૮: જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં વસવાટ કરતા મૂળ ભરૂચના આસામી ગયા મહિને ચાર દિવસ માટે બહારગામ ગયા પછી બંધ રહેલા તેમના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યાે હતો. સોના-ચાંદીના દાગીના તથા ઈમિટેશન જવેલરી અને રૂ।.૧૦ હજાર રોકડા મળી કુલ રૂ।.૧,૩૯,૧૦૦ની મત્તા ઉસેડી જવાઈ હતી. પોલીસે તસ્કરોના સગડ દબાવ્યા છે.
જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં આવેલી શેરી નં.૩માં પિતૃકૃપા નામના મકાનમાં રહેતા મૂળ ભરૂચના વતની હિરેનભાઈ કૌશિકભાઈ સોની નામના આસામી ગયા મહિનાની પચ્ચીસ તારીખે પોતાના પરિવાર સાથે બહારગામ ગયા પછી સવારના સાત વાગ્યાથી તા.ર૯ની રાત્રિ દરમિયાન તેમના ઘરમાં ચોરી થઈ હતી.
કોઈ તસ્કરો તેમના મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ગયા પછી અંદર ખાખાખોળા કરી ચાંદીના પેન્ડલવાળી ચેન તેમજ ચાંદીની બુટી, સોનાના પેન્ડલવાળું મંગળસૂત્ર, કાનમાં પહેરવાની સોનાની બે જોડી બુટી, મોતીના પેન્ડલવાળો ઇમિટેશન જ્વેલરીનો સેટ, ઇમિટેશન જ્વેલરીના બે હાર તથા કાનની બુટી અને રૂપિયા ૧૦,૦૦૦ રોકડા મળી કુલ ૧,૩૯,૧૦૦ની મત્તા ચોરી કરી ગયા હતા. આ ચોરીની એક મહિના પછી હિરેનભાઈએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial