Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઐતિહાસિક સ્થાપત્યોઃ સાત રસ્તા સર્કલ પર દેશભક્તિનો ઝળહળાટઃ
જામનગરમાં પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ ભૂજિયા કોઠા, રણમલ તળાવ, આયકર ભવન, પીજીવીસીએલ કચેરી સહિતના ઐતિહાસિક સ્થાપત્યો તિરંગાની થીમ પર રોશનીથી ઝળહળી ઊઠ્યા હતાં અને ધર્મનગરીમાં રાષ્ટ્રીય તહેવાર પણ ઉમંગભેર ઉજવાયો હતો. તાજેતરમાં લોકાર્પણ પામેલ સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધીના ઓવરબ્રિજ નીચે સાત રસ્તા સર્કલમાં ઝાંસીની રાણીની પ્રતિમા આસપાસ પણ અદ્ભુત લાઈટ ડેકોરેશન નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતાં અને ઓવરબ્રિજ ફરી એક વખત સેલ્ફીઝોન બન્યો હતો. ઐતિહાસિક ઈમારતો સહિત સરકારી કચેરીઓમાં પણ લાઈટીંગમાં રાષ્ટ્રધ્વજના રંગો ઝળહળી ઊઠ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial