Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સાથે ચૂંટણીઓ થાય, તો દેશના નાણા અને સમય બચશે રાઘવજીભાઈ પટેલ
જામનગર હાપા માર્કેટીગ યાર્ડમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર,એક ચૂંટણીના પ્રસ્તાવને લઈને તથા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, હોદ્દેદારો દ્વારા પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ તકે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશભરમાં 'વન નેશન, વન ઈલેકશન બીલ લાગુ થવાથી ચોક્કસ સમય મર્યાદાની અંદર ચૂંટણીઓ થશે જેનાથી દેશને ઘણો ફાયદો થશે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય તો તેનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે. આ બેઠકમાં અગ્રણી વિનોદભાઈ ભંડેરી, હાપા એપીએમસીના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, અગ્રણી કુમારપાળસિંહ રાણા, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર, હોદ્દેદારો, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહૃાા હતા. અને પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial