Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ ગંભીર સમસ્યાનો ઉકેલ ગંદા પાણીના નિકાલની યોજના પૂર્ણ થયા પછી જ આવશે
ખંભાળીયા તા. ૩: ખંભાળીયામાં ઘી નદી ખ્ૂબજ જાણીતી તથા રામનાથથી ખામનાથ વચ્ચે ફેલાયેલી તથા રામનાથ, મહાદેવ વાડો તથા પાસે જ ત્રણ સ્થળે ન્હાવા તથા તરવાનું શીખવા માટે આદર્શ ગણાતી આ નદીમાં હાલના ૫૦/૬૦ વર્ષના અનેક પ્રોઠો તરતા શીખ્યા છે. તેવી નદીમાં કેટલાક સમયથી દરેક ઉનાળાના સમયે ગાંડીવેલનો ઉપદ્રવ થતાં નદીનું પાણી બગડી જાય છે તથા તેની સુંદરતા ખરાબ થઈ જતા તથા ગાંડીવેલથી મચ્છરોની ઉત્પતિ થાય છે.
જો કે ગાંડીવેલ થવાનું કારણ નદીમાં ઠેરઠેર થી આવતું ગટરનું પાણી હોય, ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજયમંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા ૨૭ કરોડના ખર્ચે ગંદા પાણીના નિકાલની ખાસ યોજના મંજુર કરાવી હોય તે પૂર્ણ થયે જ આ ગાંડીવેલની સમાપ્તિ થશે, જો કે અન્ય સ્થળે ગાંડીવેલ ને ગાય ભેંસો ખાઈ જાય છે. પણ ઘી નદીમાં જવા માટે ગાયો ભેંસોને રસ્તો ના હોય ગાંડીવેલ તેનું સામ્રાજ્ય જમાવા માંડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial