Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'મહાનુભાવો' તારીખ આપે તો તેના પર આધાર !
જામનગર તા. ૨૮: જામનગર હાપા માર્કેટ યાર્ડ નજીક ઓવરબ્રિજ બનાવાયો છે અને કામ પૂર્ણ થઈ ગયું છે. હવે સત્તાધિશો તેને લોકાર્પણ કરે તેની રાહ જોવાઈ રહી છે.
હાપા માર્કેટ યાર્ડ નજીક રેલવે ટ્રેક પર રૂ. ૪૨ કરોડના ખર્ચે થી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ૭૭૩ મીટરની લંબાઈનો આ ફોર ટ્રેક ઓવરબ્રિજ તા. ૩૧ જુલાઈના તૈયાર થઈ ગયો છે. હવે આ બ્રિજ લોકાર્પણની રાહ જુએ છે. જો કે, આ કાર્યવાહીની સત્તા અધિકારી પાસે નહીં, પરંતુ શાસકો પાસે છે. તેમના પક્ષના મહાનુભાવો ને ક્યારે ઉદ્ઘાટનનો સમય મળે છે તેના પર નિર્ભર છે. શહેરને રેલવે ફાટક મૂક્ત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જામનગરમાં પણ અનેક ફાટક પર બ્રિજ બની ચૂક્યા છે. ત્યારે હાપા માર્ગે વધુ એક બ્રિજનું કામ પૂર્ણ થયું છે. આ માટે રૂ. ૪૧ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
બસ, હવે મહાનુભાવો ક્યારે તેને લોકાર્પણ કરે છે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial