Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં સાંઈઠ વરસથી
ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયામાં અનેક ગરબીઓ વર્ષોથી થાય છે. જેમાં વારાહી ચોકમાં વારાહી માતાજીના મંદિર પાસે ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા થતી ગરબી આકર્ષણરૂપ છે.
૬૦ વર્ષથી ચાલતી પરંપરા
જેમાં રાત્રે ૯થી ૧૨ાા વાગ્યા સુધી દીકરીઓ નાની બાળાઓ ગરબા રમે છે અને તે પછી રાત્રે ૧૨ાાથી મોડી રાત્રિ સુધી ભાઈઓની ગરબી થાય છે. આ પ્રાચીન ગરબી એટલી બધી લોકપ્રિય છે કે અગાઉ બહારગામથી લોકો આ ગરબી જોવા ગરબી રમવા આવતા હતા.
ઔદિચ્ય બ્રહ્મ અગ્રણી ભાર્ગવભાઈ શુકલએ જણાવેલ કે ઔદિચ્ય જ્ઞાતિના વડવાઓ હસ્તલીખીત વિવિધ છંદો બાળલીલા, નાગબાઈ, લવકુશ, રમાયાણ, અને આઠમનો ખૂબ જ લોકપ્રિય ઈશ્વર વિવાહ ગાતા જે અગાઉના સમયથી હાથેથી લખેલા પુસ્તકોમાં આજે પણ ગાવામાં આવે છે. અને ભાવિક ખૂબ જ ધન્યતા અનુભવે છે. વર્ષો જુની આ પરંપરામાં આજે જુના વડવાઓની ચોથી પાંચમી પેઢીના યુવાનો પણ ધોતી પીતાંબર, પહેરી નમું રે ગણેશ નમું રે હનમંતા જેવા છંદો ગાય છે અને માતાજીની ભકિત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial