Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભજન-કીર્તન, મહાઆરતી સહિતનું આયોજનઃ
જામનગર તા. ૭: જામનગર ઈસ્કોન દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તા. ૧૬ અને તા. ૧૭ ના ઈસ્કોન મંદિર, જામનગર-રાજકોટ હાઈ-વે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧૬/૮ ના સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતી, ૭-૧પ વાગ્યે શ્રૃંગાર દર્શન અને ગુરુપૂજા, ૮ વાગ્યે શ્રીકૃષ્ણ કથા, સાંજે ૬ વાગ્યે કીર્તન, ૬-૪૦ વાગ્યે સંધ્યા આરતી, ૭-રપ વાગ્યે જન્માષ્ટમી પ્રવચન, રાત્રે ૮-૩૦ વાગ્યે નાટક, રાત્રે ૧૦ વાગ્યે ભજન, ૧૧ વાગ્યે ભોગ અર્પણ, ૧ર વાગ્યે મહાઆરતી, રાત્રે ૧ વાગ્યા સુધી દર્શન રાખવામાં આવ્યા છે. તેમજ તમામ દર્શનાર્થીઓને ફરાળી પ્રસાદ આપવામાં આવશે.
તા. ૧૭/૮ ને રવિવારે સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતી, ૭-૧પ વાગ્યે શ્રૃંગાર દર્શન અને ગુરુપૂજા, ૮ વાગ્યે શ્રીલ પ્રભુપાદના ભક્તો દ્વારા ગુણગાન કરવામાં આવશે તેમ ઈસ્કોન પ્રમુખ મુરલીધરદાસ પ્રભુજી (મો. ૯૪૨૮૯ ૦૧૮૯૬)એ ભક્તોને દર્શનનો લાભ લેવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial