Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોનવેજના હાટડા બંધ કરાવવા માગણીઃ
ઓખા તા. ૧: ઓખામાં નવરાત્રિના દરમિયાન દરમિયાન ઉપરાછાપરી બે દિવસ સુધી આવારા તથા લુખ્ખા તત્ત્વોની માથાકૂટના તહેવારો બહાર આવ્યા પછી વધુ એક માથાકૂટનો બનાવ બનતા ભય પ્રસર્યાે છે. નવરાત્રિ તથા આગામી તહેવારોને અનુલક્ષીને નોનવેજના હાટડા બંધ કરાવવા માગણી ઉઠી છે.
ઓખામાં નવરાત્રિ દરમિયાન લુખ્ખા અને આવારા તત્ત્વોએ માઝા મૂકી છે. એક પછી એક માથાકૂટોના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ગરબે ઘૂમવા આવતી બાળાઓ, મહિલાઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.
ત્રીજા નોરતે માછીમારી બંદરની ગરબીમાં સર્જાયેલી બબાલ પછી ચોથા નોરતે ખોડિયાર મંદિર નજીક માથાકૂટ થતાં ભયનું વાતાવરણ પ્રસર્યું હતું. હરકતમાં આવેલી પોલીસે પાચમા નોરતાથી આવા શખ્સોને પાઠ ભણાવવાનું શરૂ કર્યા પછી પણ ગઈરાત્રે ખોડિયાર નવરાત્રિ નજીક માથાકૂટ થતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
તે ઉપરાંત ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસે ચાંપતા પગલાં ભર્યા હતા અને નોનવેજના પણ કેટલાક હાટડા બંધ કરાવ્યા હતા. આ વર્ષે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે નવરાત્રિ તેમજ આવનારા તહેવારોમાં નોનવેજની દુકાનો બંધ કરાવવા માગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial