Advertisement
Author: નોબત સમાચાર

કામ બાબતે પતિ સાથે થતાં ઝઘડાથી કંટાળી જઈ દેડકદળમાં મહિલાની આત્મહત્યા

કોઈ જલદ પ્રવાહી પી લીધાનું ખૂલ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ધ્રોલના દેડકદળ ગામમાં પતિ સાથે કામ બાબતે અવારનવાર થતાં ઝઘડાના કારણે કંટાળી જઈ એક મહિલાએ ગઈકાલે જલદ પ્રવાહી પી લીધુ હતું. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પતિનું નિવેદન નોંધ્યું છે.

ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં રહેતા અશોકભાઈ માવજીભાઈ મકવાણા નામના યુવાનના પત્ની પ્રભાબેન (ઉ.વ.૪૧)એ ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું.

આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. સારવાર કારગત નિવડે તે પહેલાં પ્રભાબેનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસને બનાવની જાણ કરવામાં આવતા દોડી આવેલી ધ્રોલ પોલીસે પતિ અશોકભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ કામના કારણે તેમના વચ્ચે ઝઘડો થતો રહેતો હતો તેનું માઠું લાગી આવતા પ્રભાબેને આ પગલું ભરી લીધુ છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh