Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    હવામાન ખાતાની આગાહીને ધ્યાને લઈને મત્સ્યોદ્યોગ વિભાગની સૂચના
જામનગર તા. ૩૧ઃ જામનગર જિલ્લાના બોટમાલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઈ રીટર્ન એન્ટ્રી કરાવી લેવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ માછીમારોને માછીમારી ન કરવા મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી સૂચના અપાઈ છે.
હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ સૂચનાનુસાર ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાની આગાહીને ધ્યાનમાં લઈને ગાંધીનગર મત્સ્યોદ્યોગ કચેરી તરફથી માછીમારી બોટને ટોકન ઈસ્યુ કરવાનું બંધ રાખવામાં આવ્યું છે, અને દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટ્સને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા જણાવવામાં આવ્યું છે, પરંતુ ટોકન સોફ્ટવેરમાં હજુ અમુક બોટોની રીટર્ન એન્ટ્રી કરવાની બાકી છે.
આથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે બોટમાલિકોની બોટ દરિયામાં હોય તેમને તાત્કાલિક પરત બોલાવી લેવી અને જે બોટો કિનારે આવી ગઈ છે તે બોટોની રીટર્ન એન્ટ્રી તાત્કાલિક કરાીવ લેવી તથા આગાહીને ધ્યાને લઈ જામનગર જિલ્લાના તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રોના તમામ માછીમારી બોટો, એક લકડી હોડીઓના માલિકો, પગડિયા માછીમારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સાવચેતી રાખવા તથા માછીમારી ન કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  